Posts

Showing posts from December, 2017

બ્રાઈડલ બ્યૂટી રુટિન માટે તુલસી ફેસ પેક

Image
તુલસીને હિંદુ ધર્મમાં પવિત્ર છોડ માનવામાં આવે છે. વૈજ્ઞાનિક ગુણો અનુસાર પણ તુલસી ગુણકારી હોય છે. આ છોડ લગભગ દરેક હિંદુ ઘરમાં જોવા મળે છે. આર્યુવેદમાં તેને ઔષધિયોનો રાજા કહેવામાં આવે છે. હાલમાં તેની લોકપ્રિયતાના કારણે તેને આંતરાષ્ટ્રીય પાક શૈલીમાં સામેલ કરી નાખી છે.  ખાવામાં, દવામાં, દર્દમાં વગેરેમાં તુલસીના લાભકારી ગુણો વિશે બધા જાણે છે પરંતુ શું તમને તુલસીના સૌંદર્ય ગુણો વિશે જાણકારી છે. જી હા, ચોંકી ગયા ને તુલસી ખૂબ જ ગુણકારી અને લાભકારી હોય છે જે ત્વચાને સુંદર બનાવે છે અને તમારામા નિખાર લાવે છે. ૧. સંક્રમણ દૂર કરે  તુલસીમાં એવા ગુણો હોય છે જે ત્વચાના સંક્રમણને દૂર કરે છે અને તેને ખીલ-મુહાસે અને દાણા રહિત બનાવે છે, કેમ કે તે ત્વચાના બધા જ બેક્ટેરિયાને મારી નાખે છે. બસ તુલસીના 5 પાંદડા લો, તેની પેસ્ટ બનાવીને તેમાં લીંબુના ટીપાં નાખીને મેળવી લો અને ચહેરા પર લગાવો. ચહેરો ચમકી ઉઠશે. ૨. ગોરી ત્વચા મેળવવા માટે  જો તમારો કલર સામાન્ય ડલ હોય તો તમે તુલસી લગાવીને રંગને ફેયર કરી શકો છો. તેના માટે તમારે એક ચમચી તુલસીની પેસ્ટ, મિલ્ક પાઉડર અને દલિયાના પેસ્ટને મેળવીને ત...

ગાલની આજુબાજુની લટકતી ત્વચાને ટાઇટ કરવા માટે ફેસ મૉસ્ક

Image
મહિલાઓ પોતાની ત્વચાની બહુ સંભાળ કરે છે. આખરે સુંદર દેખાવું પણ તો મહત્વનું છે. આપણી ત્વચા આપણા શરીરનું સૌથી મોટુ અંગ હોય છે. શરીરના અન્ય ભાગોની સરખામણીમાં ચહેરાની ત્વચા પાતળી હોય છે. સમય સાથે ગુરુત્વનાં કારણે આપણી નાજુક ત્વચા લટકવા લાગે છે. તેના કારણે કરચલીઓ પડવા લાગે છે. કરચલીઓ વધતી ઉંમરનો પ્રથમ સંકેત હોય છે. કોલેજનના ઓછા ઉત્પાદનનાં કારણે પણ ચહેરાની ત્વચા ઢીલી પડવા લાગે છે.  સૌપ્રથમ ગાલની આજુબાજુની ત્વચા લટકે છે. કોઈને પણ વૃદ્ધ દેખાવું ગમતું નથી, પરંતુ યુવાન દેખાવા માટે જરૂરી છે કે વૃદ્ધાવસ્થાનાં સંકેતો જેમ કે કરચલીઓ અને લટકેલી ત્વચાથી બચવામાં આવે. બજારમાં ઘણા પ્રકારની ક્રીમ્સ અને પ્રક્રિયાઓ ઉપલબ્ધ છે કે જે કરચલીઓ અને વધતી ઉંમરનાં અન્ય લક્ષણોને આવતા રોકે છે. જોકે તેમની કોઈ અસર થતી નથી. કેટલીક ઘાતક પ્રક્રિયાઓ જેમ કે બોટૉક્સ અને અન્ય ફિલર્સથી આવશ્યક પરિણામ મળી શકે છે. 1) એગ વ્હાઇટ (ઇંડાની સફેદી) અને મુલ્તાની માટીથી બનેલુ ફેસ પૅક  એગ વ્હાઇટમાં સ્કિનને ટાઇટ કરવાનો ગુણ હોય છે. મુલ્તાની માટી આ ફેસ પૅકને વધુ પ્રભાવશાળી બનાવે છે. આવશ્યક સામગ્રી  2 ટેબલ સ્પૂન મુ...

ચહેરાની ત્વચા ઢીલી થઇ ગઇ છે તો આ રીતે કરો ટાઇટ

Image
જ્યારે ચહેરાની ત્વચા ઢીલી પડવા લાગે છે તો, લોકો મોટાભાગે એમ વિચારીને ભૂલ કરી બેસે છે કે હવે તેમની ઉંમર વધવા લાગી છે. ઢીલી પડી ગયેલી ત્વચા પર કરચલીઓ અને માથા પર બારીક લીટીઓ દેખાવવાનું શરૂ થઇ જાય છે. ઘણીવાર તો ત્વચા પીળા રંગ પણ દેખાવવા લાગે છે અને તેમાં સંવેદનશીલતા આવી જાય છે. લાઇફસ્ટાઇલ યોગ્ય ન હોવાના કારણે તથા આહારમાં યોગ્ય પ્રકારના પોષણ ન હોવાના કારણે પણ ત્વચા ઢીલી પડી શકે છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમારી ઢીલી ત્વચાને કેવી રીતે ટાઇટ કરો, તેના માટે કેટલાક ઘરેલૂ નુસખા જણાવવાના છીએ, તો જરા ધ્યાનથી વાંચો. ઇંડાનો માસ્ક  આ માસ્કને તૈયાર કરવા માટે ઇંડાનો સફેદ ભાગ જ કામમાં આવશે. તેને ચહેરા તથા ગરદન પર લગાવીને 20 મિનિટ સુધી લગાવી રાખવાનો હોય છે. જ્યારે સુકાઇ જાય ત્યારે ચહેરાનો ધોઇ લો. આ ત્વચાની અંદર કોલોજેનનું નિર્માણ કરે છે. એલોવેરા  એલોવેરાની પત્તીઓને નિકાળીને તેમાંથી જેલ નીકાળો અને પછી તેને ચહેરા અને ગરદન પર લગાવીને ૨૦ મિનિટ સુધી રાખો. પછી તેને હુફાળા ગરમ પાણીથી ધોઈ અને ચહેરો સાફ કરી લો. આ રીતને એક અઠાવાડિયા સુધી...

ઘરે આમ બનાવો સ્ટ્રૉબેરી ફેસ સ્ક્રબ

Image
સ્ટ્રૉબેરીમાં વધુ પ્રમાણમાં ઇલૅજિક એસિડ હોય છે. આ એસિડ કોલેજેનને તૂટતા કે નષ્ટ થતા બચાવે છે. તેનાથી કરચલીઓ નથી પડતી અને ત્વચા ચિકણી તેમજ કોમળ બની રહે છે. સ્ટ્રૉબેરીમાં વધુ પ્રમાણમાં એંટી-ઑક્સીડંટ હોવાથી તે ત્વચા પર એક સંરક્ષણાત્મક પડ બનાવે છે કે જે ફ્રી રૅડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. આ ઉપરાંત સ્ટ્રૉબેરીમાં વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે કે જે સ્કિન ટોનને હળવું કરે છે, ખીલ હટાવે છે, શુષ્ક ત્વચાને ઉર્જા પ્રદાન કરે છે તેમજ ત્વચાને નવી કોશિકાઓ બનાવવા માટે પ્રેરિત કરે છે. આટલા બધા ફાયદા સાથે આ કોઈ આશ્ચર્ય નથી કે ઘણા નિર્માતાઓ સ્ટ્રૉબેરીનાં ભરપૂર ફાયદાથી યુક્ત બ્યુટી ઉત્પાદનો બજારમાં ઉતારવા માટે હોબાળો મચાવી રહ્યા છે. જ્યારે દુનિયા આખી સ્ટ્રૉબેરી પાછળ ઘેલી થઈ રહી હોય, તો આપણે કેમ પાછળ રહીએ ? નહીં ને ? હવે સમય આવી ગયો છે કે આપણે સ્ટ્રૉબેરીનો ત્વચા પર ઉપયોગ કરવાની રીતો શોધીએ અને આવો શરુઆત કરીએ આ ખૂબ જ પ્રભાવશાળી સ્ટ્રૉબેરી ફેસ સ્ક્રબથી ! સ્ટેપ 1  100 ગ્રામ પાકેલી સ્ટ્રૉબેરી લઈ તેને ઝીણી વાટી લો. સ્ટેપ 2  એક ચમચી લિંબુ રસ અને 2 ચમચી દૂધ પાવડર નાંખો. આખા મિશ્ર...

ઘરે જ કઈ રીતે બનાવશો વિટામિન ઈ ફેસ સીરમ ?

Image
વિટામિન ઈ વાસ્તવમાં ત્વચા માટે સારૂં હોય છે. વિટામિન ઈ યુક્ત આહાર લેવાથી આપની ત્વચા સ્વચ્છ રહે છે. આ જ કારણ છે કે ચહેરા માટે ઉપયોગમાં લવાતા ઉત્પાદનોમાં વિટામિન ઈ હોય જ છે. અમે અહીં આપની સાતે એક ડીઆઈવાય રેસિપી શૅર કરી રહ્યાં છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે વિટામિન ઈનો ઉપયોગ કરી ઘરે જ ફેસ સીરમ કઈ રીતે બનાવી શકાય છે. ફેસ સીરમનાં ઘણા લાભો છે; જેમ કે ત્વચાને કોમળ બનાવવી અને દિવસનાં સમયે ત્વચાને થયેલા નુકસાનને સુધારવો. તેમાં સૂર્યના તડકાનાં કારણે થતું નુકસાન અને આજ-કાલ ફેલાયેલા પ્રદૂષણનાં કારણે થતું નુકસાન સામેલ છે. હા જી, તેમાંથી કોઈ પણ વસ્તુ ત્વચા માટે સારી નથી હોતી. માટે દિવસનાં અંતે આપે નિશ્ચિત રીતે એવી વસ્તુની જરૂર હોય છે કે જે આપની ત્વચાને થયેલ નુકસાનને દૂર કરી શકે. ઓવરનાઇટ સીરમ આપની ત્વચામાં સુધાર લાવે છે. જોકે આ ખૂબ મોંઘા હોય છે. તેથી આપ વિટામિન ઈના કૅપ્સૂલનો ઉપયોગ કરી તેમને ઘરે જ બનાવી શકો છો. અહીં જણાવાયું છે કે વિટામિન ઈનો ઉપયોગ કરી આપ ઘરે જ ફેસ સીરમ કેવી રીતે બનાવી શકો છો. જરૂરી સામગ્રી :  * વિટામિન ઈ કૅપ્સૂલ્સ * ફ્રંકિન્સન્સ ઑયલ (લોબાનનું તેલ) * બદામન...

નીલગિરી તેલના સૌંદર્ય લાભો

Image
આવશ્યક તેલ હમણાં એક ગુસ્સો છે. તેઓ બધે જ ઉપયોગમાં લેવામાં આવે છે - તે સ્વાસ્થ્ય અથવા સુંદરતા સેક્ટરમાં હોય છે. આવશ્યક તેલના ફાયદા છે - તેઓ ખુશખુશાલ ત્વચા પૂરી પાડે છે ફોલ્લીઓ અને wrinkles દેખાવ અને દંડ રેખાઓ. થોડા આવશ્યક તેલમાં નુકસાન થયેલા વાળની મરામત અને તે જાડા અને મજબૂત બનાવે છે. એરોમાથેરાપીમાં આવશ્યક તેલનો વ્યાપક ઉપયોગ થાય છે.  તેઓ કાર્બનિક ફુવારો જૈલ્સ અને સફાઇ સાબુના મુખ્ય ઘટકો પણ છે. દરેક આવશ્યક તેલમાં એક વિશિષ્ટ સુગંધ હોય છે જે આપણા શરીર અને મનને સ્ત્રાવ કરે છે.  કેટલાક આવશ્યક તેલના ઔષધિય લાભો પણ છે, ઉદાહરણ તરીકે, નીલગિરી તેલ. તે તેના ઘણા ઔષધીય ગુણધર્મો માટે જાણીતું છે તે વિરોધી સેપ્ટિક, બળતરા વિરોધી છે અને તે મચ્છરો અને જીવડાંના જીવડાં તરીકે પણ વપરાય છે.  તે અવરોધિત નાક અને સાઇનસ કન્જેશનથી રાહત આપવા માટે સામાન્ય રીતે વપરાય છે. પણ શું તમને ખબર છે કે તેમાં ઘણાં સૌંદર્ય લાભો છે? નીલગિરી તેલ તેના છોડના પાંદડાઓના નિસ્યંદન દ્વારા કાઢવામાં આવે છે. તેની ગંધ મીઠી અને કપૂર છે. અહીં નીલગિરી તેલના સૌંદર્ય લાભની સૂચિ છે 1) સફાઇ એજન્ટ  નીલગિરી તેલ એક મહાન ...

Private Partના વાળ કાઢવાના 6 સહેલા ઉપાય

Image
પ્યૂબિક એરિયાના વાળને કેવી રીતે  કાઢવા આ વાતને આજે પણ ખૂબ પર્સનલ માનવામાં આવે છે અને આ વિષય પર વાત કરવામાં આપણે સંકોચ અનુભવીએ છીએ કે કયો તરીકો આ માટે સારો છે અને આપણે આ વાળથી કેવી રીતે છુટકારો મેળવી શકીએ છીએ. hair removal જો તમે જાણવા માંગો છો કે તમે પ્યૂબિક એરિયાના વાળને કેવી રીતે કાઢી શકો છો તો આગળ વાંચો એ લોકો જેમણે ક્યારેય પ્યૂબિક એરિયાના વાળ કાઢવા અંગે વિચાર નથી કર્યો તેમને અમે બતાવી દઈએ કે પ્યૂબિક એરિયાના વાળને કાઢવા ખૂબ મહત્વપૂર્ણ છે. જેથી તમારુ ગુપ્ત અંગ સ્વસ્થ, સુરક્ષિત અને સ્વચ્છ રહે. અહી અમે તમને પ્યૂબિક એરિયાના વાળને કાઢવાની કેટલીક રીત અને તેનાથી થનારા ફાયદા અને નુકશાન વિશે બતાવી રહ્યા છે.  અહી બતાવેલ રીતનો ઉપયોગ તમે સ્વચ્છતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવો જોઈએ. 1. વેક્સિંગ - વેક્સિંગ 2 થી વધુ અઠવાડિયા સુધી અસર બતાવે છે અને તેનાથી વાળ ખૂબ જડથી નીકળી જાય છે. જો કે પરિણામ વાળોની વૃદ્ધિ અને લંબાઈ પર નિર્ભર કરે છે. આ પ્રકિયાનુ સૌથી મોટુ પરિણામ એ છે કે તેમા દુખાવો ખૂબ થાય છે અને તમારે આને ઘરે જાતે જ કરવાની કોશિશ ન કરવી જોઈએ.  જો તમે પ્યૂબિક એરિયા મા...

શિયાળામાં અસરકારક સ્પા ટ્રીટમેંટ

Image
શિયાળાની ઋતુમાં સ્કીનની નમી ખોવાઈ જવાને લીધે સ્કીન એકદમ રૂખી થઈ જાય છે, જેને લીધે સ્કીન ખેંચાય છે અને ખંજવાળ પણ થાય છે. આનાથી છુટકારો મેળવવા માટે તમે સ્પાની મદદ લઈ શકો છો. અરોમા થેરપી અને ફ્રુટ મસાજની સાથે સ્પા ટ્રીટમેંટ લેનારાઓની સંખ્યા વધી રહી છે. સ્પા ટ્રીટમેંટ લેવાથી ચહેરા પરની મૃત ત્વચા દૂર થઈ જાય છે અને શરીરના રોમછિદ્રો એક્ટિવ થઈ જાય છે. બ્યુટિશીયનને અનુસાર શિયાળામાં અરોમા થેરપી સૌથી અસરકારક રહે છે. અરોમા થેરપીમાં ઓઈલની જુદી જુદી વેરાયટી વડે મસાજ કરવામાં આવે છે. ત્યાર બાદ સ્ટીમ બાથ આપવામાં આવે છે. સાથે સાથે આલમંડ ઓઈલ અને હીટ ઓઈલ મસાજની સાથે બોડી પોલીશીંગ પણ કરવામાં આવે છે. આયુર્વેદીક થેરપી લેવી પણ સારી રહેશે કેમકે આમાં વિવિધ જડી બુટીઓ વડે બનેલા તેલથી મસાજ કરીને સ્ટીમ બાથ આપવામાં આવે છે. ત્વચાની પ્રકૃતિને અનુસાર અરોમા ઓઈલની પસંદગી કરવામાં આવે છે. આ સિવાય ફ્રુટ સ્પા પણ ખાસ છે. આની અંદર શિયાળામાં મળતાં ફ્રુટનો જ ઉપયોગ કરવામાં આવે છે. સ્પાની આ સુવિધા તમે 650 થી લઈને 8000 સુધીમાં લઈ શકો છો. લગ્નની તૈયારી કરી રહેલ યુવતીઓએ પોતાની ત્વચા નિખારવા માટે ઓછામાં ઓછી ચારથી પાંચ વખત સ્પ...

ગોરા થવુ હોય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Image
સુંદર જોવાનો સપનો દરેક છોકરીનો હોય છે. દરેક સમયે એ પોતાને બીજાથી વધારે ખૂબસૂરત જોવા ઈચ્છે છે અને એને જોઈને બધા એને બ્યૂટીફુલ કહે એમ ઈચ્છી છે. ગ્લોઈંગ અને ડાઘ વગરની ત્વચા દરેક કોઈને ગમે છે. એના માટે એ પાર્લર જઈને મોંઘા ફેશિયલ કે સ્કિન ક્લીનિક જઈને બ્યૂટી ટ્રીટમેંટ લે છે. પણ ક્યારે એ ટ્રીટમેંટના સાઈડ્ ઈફેક્ટસ પણ થાય છે. તમે ઘરે જ કોઈ ઘરેલૂ ઉપાય અજમાવીને તમારી સાંવળી ત્વચાને ગોરા કરે શકો છો. જાણો એ ઘરેલૂ ઉપાય સંતરાના પાવડર  જે રીતે સંતરા ફળ ખાવામાં ઘણા રોગોથી છુતકારો આપે છે એમ જ એના છાલટા  ખૂબસૂરતી માટે લાભકારી છે. એના માટે સંતરાના છાલટાને ધૂપમાં સુકાવીને વાટી લો. અઠવાડિયામાં બે ત્રણ ચમચી પાવડરમાં થોડા દહીં કે દૂધ મિક્સ કરી ચેહરા પર લગાડો. 30 મિનિટ પછી સાફ પાણીથી ધોઈ લો. 

સ્ટ્રેટનરે જોઈએ છે સ્ટ્રેટ હેર? તો અજમાવો આ પ્રાકૃતિક પદ્ધતિ

Image
આજકાલ વાળને સ્ટ્રેટ કરવાની ફેશન ઘણી ચાલી રહી છે, પરંતુ સ્ટ્રેટનરનો વાંરવાર પ્રયોગ કરવાથી વાળ બળી જાય છે અને પાતળા થઈ જાય છે. એટલે છોકરીઓએ તેનો પ્રયોગ ના કરવો જોઈએ અને નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.  જી હાં, તમે તમારા વાળને પ્રાકૃતિક વસ્તુઓથી સ્ટ્રેટ કરી શકો છો. આ સામગ્રી તમારા કિચનમાં જ પ્રાપ્ત થઈ જશે અને તેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી. ચલો જોઈએ તેને કેવી રીતે બનાવશો ૧. મિલ્ક સ્પ્રે સામગ્રી-  ૧ કપ દૂધ  ૧. કપ પાણી  સ્પ્રે બોટલ   રીત-  પાણી અને દૂધને સ્પ્રે બોટલમાં મિક્સ કરો. પછી તેને વાળમાં સ્પ્રે કરો અને ૨ કલાક માટે રાખો. તેના પછી તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો.  ૨. બનાના ઓલિવ તેલ  ૨ પાકા કેળા  ૨ જેતૂનનું તેલ  રીત-  બધી સામગ્રીની પેસ્ટ બનાવી લો.  પછી તેને વાળમાં લગાવો અને શાવર કેપ પહેરી લો. પછી ૩ કલાક પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.   ૩. કોકોનેટ મિલ્ક સ્પ્રે સામગ્રી!  તાજા નારીયેળનું દૂધ  રીત-  નારિયેળના દૂધને માથામાં લગાવીને શાવર કેપ પહેરી લો અને ૨-૩ કલાક પછી શેમ્પુ કર...

ખીલનાં ડાઘા હોય કે બ્લૅકહૅડ્સ, બધું દૂર કરે લસણનું મૉસ્ક

Image
શું આપ જાણો છે કે કાચું લસણ ખીલનાં નિશાનને દૂર કરવામાં કેટલું કારગત નિવડે છે ? મોટાભાગનાં લોકોમાંનાં કેટલાંક લોકોની આદત હોય છે કે તેઓ ચહેરા પર નિકળેલા પિંપલ્સને ફોડી દે છે અને ચહેરા પર અભદ્ર નિશાન બનાવી લે છે, પરંતુ શું આપ જાણો છો કે કાચું લસણ ખીલનાં નિશાન દૂર કરવામાં કેટલું કારગત નિવડે છે ?  જો કાચા લસણને પીસીને ખીલ પર લગાવવામાં આવે, તો સોજો તો ખતમ થશે જ, સાથે-સાથે ખીલ બળી જશે અને એક અભદ્ર નિશાન છોડી જશે. એવું એટલા માટે, કારણ કે લસણમાં સલ્ફરનું પ્રમાણ બહુ વધારે હોયછે. તેથીચહેરા પર જ્યારે પણ લસણ લગાવો, તો તેની અસર ઓછી કરવામાટે તેની સાથે અન્ય સામગ્રીઓ પણ મેળવી લો. આજે અમે આપને લસણનું એવું ફેસ મૉસ્ક બનાવતા શીખવાડીશું કે જેની મદદથી આપ બ્લૅકહૅડ્સ, પોર્સની સફાઈ, સ્કિનને ટાઇટ તથા ખીલને દૂર કરી શકોછો. આવો જાણીએ તેના વિશે : બ્લૅકહૅડ્સ દૂર કરવા માટે :  1 લસણની કળી પીસેલી લો, 1 નાની ચમચી ઓટમીલ પાવડર, 3 ટીપા ટી ટ્રી ઑયલ તથા 1 ચમચી મધ લઈ મેળવો. આ પેસ્ટનું પાતળું કોટ પોતાનાં નાક પર લગાવો અને 5 મિનિટ સુધી રહેવાદો. પછી તેને સ્ક્રબ કરતા સાફ કરી લો અને ચહેરો ધોઈ લો. પોર સાફ...

ગળાની કરચલીઓ ફાકથી ગાયબ કરે આ ઘરગથ્થુ ઉપચારો

Image
આજે અમે આપને કેટલાક એવા તેલોનાં નામ જણાવવાનાં છીએ કે જેમના ઉપયોગથી આપ ગળાની કરચલીઓમાંથી કાયમ માટે છુટકારો પામી શકો છો. તો જરૂર ટ્રાય કરો આ તેલો...  ગળા પર કરચલીઓ ત્યારે પડે છે કે જ્યારે ત્યાંની ત્વચામાં ડિહાઇડ્રેશન થઈ જાય છે. તેથી ત્વચા પીઢ વ્યક્તિની ત્વચા જેવી દેખાવા લાગે છે. આપ ઇચ્છો, તો કેટલાક ઘરગથ્થુ ઉપચારો વડે તેને સાજી કરી શકો છો. આપનાં ગળાની ત્વચાને સારી રીતે પોષણ આપો અને તેને હાઇડ્રેટ કરો. આજે અમે આપને કેટલાક એવા તેલોનાં નામ જણાવવાનાં છીએ કે જેમના ઉપયોગથી આપ ગળાની કરચલીઓમાંથી કાયમ માટે છુટકારો પામી શકો છો. તો જરૂર ટ્રાય કરો આ તેલો... કૅસ્ટર ઑયલ :  કૅસ્ટર ઑયલમાં ઢગલાબંધ પોષણ હોય છે કે જે ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તેને કોમળ બનાવે છે. તેનાથી ગળા પર કરચલીઓ નથી દેખાતી. પેટ્રોલિયમ જૅલી :  આ એક ખૂબ જ સરળ ઉપચાર છે કે જેને ગળા પર લગાવવાથી કરચલીઓ ધીમે-ધીમે હળવી પડવા લાગે છે. વિટામિન ઈ તેલ :  જો આપ ઓછી વયથી જ વિટામિન ઈનું તેલ લગાવવાનું શરૂ કરશો, તો આપનાં ગળા પર કરચલીઓ પડશે જ નહીં. નારિયેળ તેલ :  રાત્રે સૂતા પહેલા ગળા પર દરરોજ નારિયેળ...

ચહેરાનાં પોર્સ સાફ કરવા માટે આમ બનાવો પીલ ઑફ મૉસ્ક

Image
સ્કિનનાં પોર્સમાં જ્યારે ગંદકી જામવા લાગે છે, તો ખીલ, બ્લૅકહૅડ અને અન્ય ગુમડા-ફુંસીઓ નિકળવાનું શરૂ થઈ જાય છે. તેવામાં જેમની ત્વચા ઑયલી હોય છે, તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, જે લોકોનાં સ્કિન પોર્સ મોટા હોય છે, તેમને પણ પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  આ પોર્સમાં જ્યારે ગંદકી ભરાય છે, તો બૅક્ટીરિયા અને ડેડ સેલ્સ જામી જાય છે. તેથી તેમને સાફ કરવું બહુ જરૂરી છે. આપ ઇચ્છો, તો ઘરે જ પીલ ઑફ મૉસ્ક તૈયાર કરી શકો છો કે જે ચહેરાનાં પોર્સમાંથી ગંદકીને એકદમ સાફ કરી દેશે. તનાથી આપનાં ચહેરા પર ક્યારેય બ્લૅકહૅડ્સ તથા ખીલ નહીં થાય તેમજ ચહેરો કાયમ ચમકદાર બન્યો રહેશે. આવો જાણીએ કે ઘરે જ પીલ ઑફ મૉસ્ક કઈ રીતે તૈયાર કરવામાં આવે છે ? સામગ્રી -  * ઇંડાનો સફેદ ભાગ - 1  * તાજા લિંબુનો રસ - 1 ચમચી  વિધિ -  1. કાચા ઇંડાનાં સફેદ ભાગને એક વાટકીમાં કાઢી તેમાં તાજા લિંબુનો રસ નાંખો. 2. આ મિશ્રણને લગભગ 5 મિનિટ હલાવી બરાબર મેળવી લો. 3. હવે બ્રશની મદદથી આ ગોળને ચહેરા પર લગાવો. 4. તે પછી પોતાનો ચહેરો એક ટિશ્યુ પેપર વડે ઢાંકી લો. 5. પછી મૉસ્કને 20 મ...

સુંદર અને બેદાગ ત્વચા માટે લગાવો તુલસી

Image
સદીઓથી તુલસીના ફાયદાની વાત આપણે સાંભળતા અને જાણતા આવ્યા છીએ. આ તે પ્રાકૃતિક વસ્તુ છે જે ઘણી બધી બિમારીઓથી બચાવે છે. કહેવામાં આવે છે કે તુલસી બધી પ્રાકૃતિક ઔષધિઓની જનની છે. જેમં એંટીઓક્સીડેંટ, એંટીબેક્ટેરિયલ, એંટીફંગલ, એંટીવાયરલ અને રોગ પ્રતિરોધને વધારનાર તત્વ હોવાની સાથે, આ સંપૂર્ણ સેહત માટે વરદાન છે. આ પ્રતિરોધ ક્ષમતાને મજબૂત કરે છે. આ તે છોડ છે જે દરેક ભારતીયના ઘરમાં મળી આવે છે. તેના પાંદડા ખીલ અને બ્રેકઆઉટ જેવી અન્ય સમસ્યાઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. તુલસીમાં એંટીઓક્સિડેંટ્સ ભરપૂર માત્રામાં મળી આવે છે જેથી આ ત્વચાની સમસ્યાઓમાંથી છુટકારો અપાવે છે અને ત્વચાનો રંગ પણ સાફ કરે છે. આવો તેના બીજા કેટલાક ફાયદાઓ વિશે જાણીએ. 1. ખીલ  દરરોજ તુલસીના પાંદડા ખાવાથી લોહી સાફ થાય છે જેનાથી દાણા અને ખીલમાંથી છુટકારો મળે છે. દાણા અને ખીલ થતાં તુલસીના પાંદડાનો ફેસ પેક જેમાં ગુલાબજળ, ચંદનનો પાવડર અને લીંબૂનો રસ મિક્સ કરો. તેને લગાવવાથી ખીલ ઓછા થઇ જાય છે. 2. સ્વસ્થ ત્વચા  તુલસીના પાંદડામાં એંટીઓક્સિડેંટ મળી આવે છે જેનાથી ત્વચા નિખરે છે. તેના માટે થોડા તુલસીના પાંદડા લો હવે તેને પીસી...